News of Thursday, 17th September 2020
હરસિમરત કૌરનું રાજીનામું નાટક છે : કેપ્ટન અમરિંદર સિંહ
નવી દિલ્હી: અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલે કૃષિ સંબંધિત બિલના વિરોધને કારણે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. મોદી સરકાર-2 નું આ પહેલું રાજીનામું છે. દરમિયાન પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ રાજીનામાને નિશાન બનાવ્યું છે. તેમણે કહ્યું કે તેમણે રાજકીય મેદાન શોધવા માટે રાજીનામું આપ્યું છે. હરસિમરત કૌરનું રાજીનામું એક નાટક છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે હરસિમરત કૌરે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે પરંતુ શાસક ગઠબંધન છોડ્યું નથી. આ રાજીનામુ ખેડૂતો માટે નથી આપ્યું, પરંતુ પોતાની ઘટતી જતી રાજકીય પ્રતિષ્ઠા બચાવવા માટે છે.
(10:03 pm IST)