News of Thursday, 17th September 2020
મોદી સરકારને ઝટકો : નવા કૃષિ કાનૂનના વિરોધમાં કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર રાજીનામુ આપી દેશે : શિરોમણી અકાલી દલ પ્રેસિડન્ટ સુખબીરસિંઘ બાદલની ઘોષણાં
ન્યુદિલ્હી : શિરોમણી અકાલી દલ પ્રેસિડન્ટ સુખબીરસિંઘ બાદલએ આજરોજ લોકસભામાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના નવા કૃષિ કાનૂનના વિરોધમાં કેન્દ્ર સરકારના ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર હરસિમરત કૌર રાજીનામુ આપી દેશે .
બાદલે ઉમેર્યું હતું કે આ નવો કાનૂન પંજાબના ખેડૂતોની 50 વર્ષની મહેનત ઉપર પાણી ફેરવી દેનારો છે.ભારતને અનાજ ક્ષેત્રે સ્વાવલંબી બનાવવામાં પંજાબનો મોટો હિસ્સો હોવાનું તેમણે જણાવ્યું હતું .
ઉલ્લેખનીય છે કે એનડીએ સરકારમાં શિરોમણી અકાલી દલના પ્રતિનિધિ તરીકે હરસિમરત કૌર એકમાત્ર છે.જેઓને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે.
(8:20 pm IST)