મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

ટૂંક સમયમાં જ ભારતમાં ઉપલબ્ધ થશે કોરોના વેકસીન

સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને સંસદમાં સરકારની કોરોના અંગેની તમામ રણનીતિ અંગે જણાવ્યું

નવી દિલ્હી તા. ૧૭ :.. સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને કહયું કે છેલ્લા કેટલાક મહિનાથી રાજય અને કેન્દ્રની સરકાર કોરોના વિરૂધ્ધ જંગ લડી રહી છે પીએમ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશ મળીને કોરોનાની લડાઇ લડી રહ્યું છે ૭ જાન્યુઆરીએ ડબલ્યુએસઓ ને સુચના મળી હતી કે ચીનમાં  કોરોનાનો કેસ મળ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને રાજયસભામાં જણાવ્યું કે જૂલાઇ-ઓગસ્ટમાં ભારતમાં ૩૦૦ મિલિયન કોરોના કેસ અને પ-૬ મિલિયન મૃત્યુની વાત કરવામાં આવી હતી. ૧૩પ કરોડના આ દેશમાં રોજન ૧૧ લાખ ટેસ્ટીંગને પાછળ છોડી દેશું.

વધુમાં ઉમેર્યુ કે સરકારે કોરોના અંગે મોડું કર્યુ નથી. તેઓએ કહયું કે ૭ તારીખે ડબલ્યુએચઓ. એ કોરોનાનો ઉલ્લેખ કર્યો. અને ૮ જાન્યુઆરીથી બેઠકો શરૂ કરવામાં આવી છે.

રાજયસભામાં સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહયું કે ભારત અન્ય દેશોની જેમ જ પ્રયત્ન કરી રહયું છે. પીએમના માર્ગદર્શનમાં એક વિશેષજ્ઞોનું એક સમૂહ દેખરેખ રાખી રહયું છે અને અમારી પાસે યોગ્ય યોજનાઓ છે. અમને આશા છે કે આવતા વર્ષની શરૂઆતમાં ભારતમાં વેકસીન ઉપલબ્ધ થશે.

સ્વાસ્થ્ય મંત્રીએ સંસદને કોરોના સંક્રમણના કેસમાં દેશની સ્થિતિ તેનાથી લડવા માટે સરકારની સંપૂર્ણ રણનીતિ જણાવીને કહયું કે દેશમાં મૃત્યુઆંક ઓછો છે અને તેમના પ્રચારને રોકવા માટે ઉઠાવેલા પગલા સફળ થયા છે. કોરોનાના કારણે સૌથી વધુ મૃત્યુ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, યુ.પી., દિલ્હી, આસામ, કેરળ, પં.બંગાળ, બિહાર, તેલંગાણા, ઓડીસા અને ગુજરાતમાં છે.

(3:31 pm IST)