મુખ્ય સમાચાર
News of Friday, 17th August 2018

રાહુલ ગાંધીને કેરળના પૂર પીડિતો માટે પીએમ મોદીને કર્યો ફોન :વિશેષ નાણાકીય સહાય આપવા આગ્રહ કર્યો

 

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળમાં ધોધમાર વરસાદના કારણે આવેલ પુરથી થયેલ જાનમાલના નુકશાનને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને રાજ્ય માટે વિશેષ નાણાકિય સહાયતા આપવાનો આગ્રહ કર્યો હતો .

  વડાપ્રધાન સાથે ફોન પર વાત કર્યા પછી ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું, કેરળ ખુબ મુશ્કેલીમાં છે. મે વડાપ્રધાન સાથે વાત કરી અને તેમનાથી એરફોર્સ અને નેવીના જવાનોની સંખ્યા વધારવા માટે આગ્રહ કર્યો. રાહુલે કહ્યું કે, મે તે પણ કહ્યું કે, જરૂરી છે કે, રાજ્યને વિશે। સહાયતા આપવામાં આવે કેમ કે કેરળના ઈતિહાસની સૌથી મોટી દૂર્ઘટના છે.

(12:00 am IST)