News of Monday, 17th May 2021
અયોધ્યાના મુખ્ય દ્વારે બનશે ગણેશજીનું મંદિર
રામ મંદિર નિર્માણમાં આવતી બાધાઓ દુર કરવા
અયોધ્યા તા. ૧૭: શ્રીરામ મંદિર નિર્માણમાં આવતી બાધાઓ દુર કરવા ભગવાન ગણેશજીનું મંદિર અયોધ્યાના મુખ્યદ્વારે બનશે. જે રામલલાના મંદિરની પહેલા બનીને તૈયાર થઇ જશે. જે માટે ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે આ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કરેલ.
શ્રી રામ લલાના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીએ જણાવેલ કે આપણી પરંપરા મુજબ દરેક શુભ કાર્યની શરૂઆત પહેલા ગણેશજીનું પૂજન થાય છે. એટલે જ રામ મંદિર નિર્માણની બાધાઓ દૂર કરવા પૂર્વી ક્ષેત્રના મુખ્ય દ્વારે ગણપતિજીનું મંદિર બનાવાઇ રહ્યું છે.
વરસાદ પહેલા ગ્રાઉન્ડ ઇમ્પ્રુવમેન્ટનું કામ ત્રણ શીફટમાં ચાલી રહ્યું છે. ર૦ ટનના મીકસર મશીન લગાડાયા છે. કંપનીના વર્કરો રાત-દિવસ કામ કરી રહ્યા છે. આ મંદિર વાસ્તુશાસ્ત્ર મુજબ બનાવાઇ રહ્યું છે.
(3:18 pm IST)