મુખ્ય સમાચાર
News of Thursday, 17th May 2018

કર્ણાટકમાં યેદિયુરપ્પાના શપથ : કાલે સુપ્રિમમાં પારખા

કાલે સવારે ૧૦.૩૦ વાગ્યા સુધીમાં સુપ્રિમ કોર્ટમાં સમર્થક ધારાસભ્યોનું લીસ્ટ રજૂ કરવા આદેશ : યેદિયુરપ્પાની આકરી 'પરીક્ષા'

બેંગલુરૂ તા. ૧૭ : કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય બીએસ યેદિયુરપ્પાએ આજે મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા. રાજ્યપાલ વજુભાઇ વાળાએ યેદિયુપ્પાને મુખ્યપ્રધાન પદના શપથ અપાવ્યા હતા. પરંતુ યેદિયુરપ્પાએ ૧૫ દિવસમાં બહુમતી સાબિત કરવી પડશે. યેદિયુરપ્પાએ ત્રીજીવાર કર્ણાટકના મુખ્યમંત્રી પદની કમાન સંભાળી છે.

બીજેપી સૂત્રોના જણાવ્યા મુજબ યેદિયુરપ્પાએ શપથગ્રહણ સમારોહ બાદ સદનમાં બહુમત સાબિત કરવાની તારીખનું એલાન કરશે તે પહેલા રાજભવન આવતા સમયે યેદિયુરપ્પાએ રાધા - કૃષ્ણ મંદિરમાં દર્શન કર્યા. રાજભવન પહોંચતાની સાથે જ યેદિયુરપ્પાએ ભાજપ નેતાઓ સહિત મુખ્ય સચિવ અને ડીજીપી સાથે મુલાકાત કરી.

યેદિયુરપ્પાના શપથગ્રહણ અંગે બીજેપી મુખ્યાલય અને તેના આવાસ પર જશ્નનો માહોલ રહ્યો. પરંપરાગત નૃત્ય અને સંગીત સાથે પક્ષના સમર્થકોનો જમાવડો મુખ્યાલય પર હતો.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ ગઇકાલે સાંજે બી.એસ.યેદિયુરપ્પાને નવી સરકારની રચના કરવા અને આજે મુખ્યમંત્રીના રૂપે શપથ ગ્રહણ કરવા માટે આમંત્રણ આપ્યું. યેદિયુરપ્પાએ ૧૫ દિવસમાં બહુમત સાબિત કરવું પડશે. શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી અને અમિતભાઇ શાહ હાજર રહેલ નહિ.

કર્ણાટકનો રાજકીય જંગ કાનૂની જંગમાં પલટાયો છે. એક બાજુ યેદિયુરપ્પાના શપથ ચાલતા હતાં ત્યારે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલતી હતી. સુપ્રિમે શપથવિધિ સામે સ્ટે નથી આપ્યો, પરંતુ ભાજપને સમર્થન ધારાસભ્યોનું લીસ્ટ રજૂ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત રાજયપાલને ભાજપે આપેલા સમર્થન પત્રને પણ રજૂ કરવા કહ્યું છે. આ અંગે આવતીકાલે-શુક્રવારે સવારે ૧૦:૩૦ વાગ્યે સુનાવણી થશે, તેમ અહેવાલમાં જણાવ્યું છે.

સુપ્રિમ કોર્ટે આજે કર્ણાટકમાં ભાજપને થોડા સમય માટે રાહત આપી છે અને યેદિયુરપ્પાના શપથગ્રહણ કાર્યક્રમને અટકાવવાનો ઇન્કાર કરી દીધો હતો. ગત રાત્રી બાદ સુપ્રિમ કોર્ટમાં ચાલેલી સુનાવણીમાં ભલે કોર્ટે શપથગ્રહણ અટકાવવાનો ઇન્કાર કર્યો હોય પરંતુ તેની સાથે કોર્ટે ભાજપ પાસે ધારાસભ્યોની યાદી પણ માંગી છે અને યેદિયુરીયાએ લખેલા બે પત્રોની નકલ માંગી છે.

રાજયપાલને આપવામાં આવેલ સમર્થનનો પત્ર પણ સુપ્રિમે માંગ્યો છે. આ મામલે સુપ્રિમ કોર્ટમાં આજે સવારે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. કર્ણાટકમાં વિધાનસભા ચુંટણીનું પરીણામ મંગળવારે જ આવી ગયું હતું. પરંતુ ત્યાર બાદથી અહી રાજકારણના સમીકરણ ઝડપથી બદલાઇ રહયા છે. ભાજપે ર સુધીમાં ધારાસભ્યોનું લીસ્ટ આપવું પડશે.

બુધવારની સાંજે જ રાજયપાલ વજુભાઇ વાળાએ ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપી દીધું હતું. જે પછી સુપ્રિમમાં રાત આખી કાનુની આટાપાટા ખેલયા અને સુપ્રિમે શપથવિધિ અટકાવવા ઇન્કાર કરતા આજે સવારે યેદિયુરપ્પાએ મુખ્યપ્રધાન પદના શપથગ્રહણ કર્યા હતા.

સુપ્રિમ કોર્ટની જસ્ટીસ એ.કે.સીકરી, જસ્ટીસ અશોક ભૂષણ અને જસ્ટીસ એસ.એે.બોબડે બેન્ચ સમક્ષ સુનાવણી ચાલુ છે.

દેશના ઇતિહાસમાં પહેલી વખત રાજકીય પક્ષે અડધી રાત્રે સુપ્રિમ કોર્ટ ખુલી. કોંગ્રેસની અરજી પર કર્ણાટકમાં યેદિયુરપ્પાને શપથ લેતા અટકાવવા માટે રાત્રે ર વાગ્યે ત્રણ જજોની બેન્ચે સુનાવણી શરૂ કરી જે સવારે ૪.૩૦ વાગ્યા સુધી ચાલી. કોર્ટે યેદિયુરપ્પાની શપથવિધિ પર સ્ટે આપ્યો નથી અને તમામ પક્ષકારોને નોટીસ આપી છે.

કોંગ્રેસ અને જેડીએસ તરફથી અભિષેકનું મનુ સિંઘવી, સરકાર તરફથી એડીશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતા અને ભાજપ તરફથી ભુતપુર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ પક્ષ રજુ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા યાકુબ મેમણની ફાંસી પર સુનાવણી કરવા માટે સુપ્રિમ કોર્ટ રાત્રે ૩ વાગ્યે ખુલી હતી.

સતાની ખેંચતાણ માટે કોર્ટના તાળા ખોલાવ્યા હતા. છેલ્લા ૪૦ કલાકથી ચાલી રહેલ સસ્પેન્સનો બુધવારે સાંજે અંત આવ્યો. પરંતુ મધ્યરાત્રીએ તેમાં ટવીસ્ટ આવી ગયો હતો. રાજયપાલ વજુભાઇ વાળાએ સૌથી મોટો પક્ષ તરીકે ભાજપના યેદિયુરપ્પાને સરકાર રચવા નિમંત્રણ આપેલ. ગઇકાલે રાત્રે સવા વાગ્યાથી આજે વ્હેલી સવાર સુધી સુનાવણી ચાલુ રહી હતી.

સુપ્રીમમાં મોડી રાત્રે કાનૂની જંગ

કોંગ્રેસ-જેડીએસ તરફથી ધુરંધર

ધારાશાસ્ત્રીની ફોજ

.   ડો. અભિષેક મનુ સીંધવી

.   શ્રી એ.જી. ચૌધરી

   (સીની. એડવો.)

.   શ્રી પ્રશાંત કુમાર

.   શ્રી દેવદત કામત

.   ડો. સૈફ મેહમૂદ

.   શ્રી અમીત ભંડેરી

.   શ્રી એલ. નિધીરાત એસ.

.   શ્રી જાવેદુર રહેમાન

.   શ્રી રાજેશ ઇનામદાર

.   શ્રી આદિત્ય ભટ્ટ

.   શ્રી ગૌતમ તાલુકદાર

.   શ્રી હરેન્દ્ર નીલ

.   શ્રી વરૂણ કે. ચોપવા

.   સુશ્રી સુમિતા ચૌધરી

.   શ્રી આર.એચ.જે.સિકંદર

સુપ્રીમમાં મોડી રાત્રે કાનૂની જંગ

ભાજપ સરકાર તરફથી ઉપસ્થિત

ટોચના ધારાશાસ્ત્રીઓ

.   શ્રી કે.કે. વેણુગોપાલ - એડવોકેટ જનરલ

.   શ્રી મનિન્દર સીંધ (એએસજી)

.   શ્રી તુષાર મહેતા (એએસજી)

.   શ્રી રજત નાયર

.   શ્રી પ્રભાસ બજાજ

.   શ્રી કનુ અગ્રવાલ

.   શ્રી મનન પોપલી

.   શ્રી મોહિત જવામ્બ

.   શ્રી મુકુલ રોહતગી

.   સુશ્રી દેવાંશી સિંધ

.   શ્રી નિખિલ રોહતગી

(3:22 pm IST)