રાજનીતિ અને આતંકવાદ બંનેનો ધર્મ નથી હોતો: સરકારનો નિર્ણય ખોટો : રમઝાનમાં સૈન્ય ઓપરેશન બંધ રાખવા અંગે ગૃહમંત્રાલયને ટ્રોલ કરાયું
નવી દિલ્હી :ગૃહમંત્રાલયે રમઝાન મહિનામાં જમ્મુ કાશ્મીરમાં સૈન્ય ઓપરેશન બંધ રાખવા નિર્ણય કર્યો છે ગૃહ મંત્રાલયે ટ્વીટર ઉપર આ અંગે જાણ કારી આપી છે. કેન્દ્ર સરકારે સુરક્ષા દળોને આદેશ આપ્યો છે કે, રમઝાનના પવિત્ર મહિનામાં સુરક્ષા દળો કોઇ સૈન્ય ઓપરેશન ન કરે.ગૃહમંત્રાલય તરફથી જ્યારે આ નિર્ણયની ટ્વીટ કરવામાં આવી તો ભારે આલોચના થઇ હતી લોકોએ કહ્યું કે આ નિર્ણયથી ભાજપને ભારે નુકસાન ઉઠાવવાનું પડશે.
એક યુઝરે લખ્યું છે કે, રાજનીતિ અને આતંકવાદ બંનેનો ધર્મ નથી હોતો.સરકારનો આ નિર્ણય ખોટો છે.ગૃહ મંત્રાલયે ટ્વીટ કરીને એ પણ કહ્યું કે, ઇસ્લામને આતંક અને હિંસાથી અલગ કરવું જરૂરી છે. ગૃહ મંત્રલાયે કહ્યું કે, જ્યાં સુધી માસૂમ જનતા ઉપર કોઇ આંતકી હુમલો ના થાય ત્યાં સુધી ફાયરિંગ ન કરવી. મંત્રાલયે એ પણ કહ્યું છે કે, આ નિર્ણય મુસ્લિમ ભાઇ, બહેનોની સુરક્ષા માટે લેવામાં આવ્યો છે. જેથી કરીને તેઓ રમઝાન મહિના દરમિયાન શાંતિથી રહી શકે.