જૂતા સાંધનારા મોચીને IIM માં લેક્ચરની તક !!
આનંદ મહિન્દ્રાની સોશયલ મીડિયામાં રસપ્રદ તસ્વીરી પોસ્ટ
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ જૂતા સાંધનારા મોચીને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ મેનેજમેન્ટ (IIM)માં લેક્ચર લેવાની તક આપવાની વાત કરી છે.મહિન્દ્રાને લાગે છે કે આ વ્યક્તિ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને માર્કેટિંગ ચેપ્ટર સારી રીતે ભણાવી શકે છે. તેમણે આ વ્યક્તિની તસવીર પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.
આ તસવીર સોશિયલ મીડિયા પર પાછલા કેટલાક દિવસોથી વાઈરલ થઈ રહી છે. આનંદ મહિન્દ્રા સોશિયલે તેને મસ્તીભર્યા કેપ્શન સાથે શેર કરી છે. સોશિયલ મીડિયા પર તે પોતાના આ અંદાજ માટે જાણીતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા પાસે લગભગ 10 હજાર કરોડની સંપત્તિ છે. તેમને ફોર્ચ્યુન મેગેઝીને દુનિયાના 50 સૌથી બેસ્ટ લીડર્સમાં શામેલ કર્યા છે. 2013માં ફોર્બ્સ ઈન્ડિયાએ તેમને આંત્રપ્રિન્યોર ઓફ ધ યર તરીકે સિલેક્ટ કર્યા હતા.