મુખ્ય સમાચાર
News of Tuesday, 17th April 2018

ગયા વર્ષે બનેલા

સ્મૃતિ ઇરાની સાથે દુર્વ્યવહાર મામલે ૪ લોકો વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ

 નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી સ્મુતિ ઇરાની સાથે દુર્વ્યવહાર કરનાર ૪ લોકો વિરૂધ્ધ પોલીસે પીછો કરવો, બીવડાવા સહિતની કલમો સાથે ચાર્જસીટ દાખલ કરી છે. ગયા વર્ષે એપ્રિલમાં સ્મૃતિ ગાંધી એરપોર્ટથી ચાણકય પુરી સ્થિત હોટલ જઇ રહયા હતા તે દરમિયાન સેન્ટ્રો કારમાં સવાર ચાર યુવકોએ મ્યાનમાર દુર્તાવાસ નજીક સ્મૃતિ સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કરતા સુરક્ષા કર્મીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ૧ કિલોમીટર સુધી પીછો કરી ચારેય યુવકોને પકડી હોસ્પીટલ લઇ ગયા હતા. જયાં તેઓ પીધેલા હોવાનું માલુમ પડયુ હતુ. ચારેય આરોપીઓ દિલ્હી યુનિર્વસીટીની રામલાલ આનંદ કોલેજના વિધાર્થીઓ  છે. આ ચારેયને વધુમા વધુ ૩ વર્ષની સજા થઇ શકે છે. હાલ ચારેય આરોપીઓ જામીન ઉપર છે. (૪૦.૭)

 

(4:05 pm IST)