બાડમેરમાં ઝાડ પર ત્રણ સગીરના શબ લટકતા મળ્યા : પોલીસે આત્મહત્યા ગણાવીઃ પરિવારે હત્યાનો આરોપ મૂકયો
(રાજસ્થાન) બાડમેર,તા.૧૭ : બાડમેર જિલ્લાના દૂરના એક ગામમાં બેદલિત છોકરીઓ અને એક મુસ્લિમ છોકરાનીલાશ ઝાડની ડાળીઓ પર લટકતી મળી આવીહતી. ઉજ્જડ રેતીના રણમાં દૂર આવેલા વેરાનગામના છેવાડે ઝાડપર ત્રણ મૃતદેહો લટકેલાહતા. તે જોઈ ગ્રામજનો ચોકી ઉઠ્યા.
બે છોકરીશાન્તી (ઉ.વ.૧૩) અને મધુ (ઉ.વ.૧૨) રાત્રેપરિવાર સાથે સુઈ ગઈ હતી. મધરાત્રે અચાનકગુમ થઈ ગઈ હતી. મધરાત્રે ગુમ થયેલબાળકીઓની સવારે શોધખોળ કરાતા બાળકીઓના મૃતદેહ ઝાડ પર લટકતા જોવામળ્યા. પરિવારના સભ્ય ભૈરૂ મેઘવાલે કહ્યું કેસગીર છોકરીઓનું અપહરણ કરાયું હોવું જોઈએત્યારબાદ રેપ કરી હત્યા કરી હશે.
જ્યારે પરિવારસાથે સગીર છોકરીઓ સૂતી હતી તો કેવી રીતેઅપહરણ કરાયું ? તે પ્રશ્ન ઊભો થયો છે ?ભૈરૂલાલ મેઘવાલના ઘર પાસે એકઠા થયેલાગ્રામજનોએ દેશાલખાન ૧૭ નામના યુવક પરઆંગળી ઉઠી હતી. જે યુવક પણ છોકરીઓ સાથે ઝાડ પર લટકેલ મળી આવ્યો હતો. ભૈરૂલાલ મેઘવાલે કહ્યું કે વર્ષ પહેલાં દેશાલ નામનો આયુવક મારા ઘરની આસપાસ આંટા ફેરા કરતોહતો. તે સારો છોકરો ન હતો. તેના મિત્રો સાથેતે ગામમાં હંગામો કરતો હતો. ગ્રામજનોનું કહેવુછે કે બે છોકરીઓ દેશાલ સાથેના સબંધોનો મોત સાથે અંત આવ્યો છે. ત્રણે મૃતકો ખેતમજૂરહતા. જે ઝાડ પર મૃતદેહો મળ્યા ત્યાં ચાર વ્યક્તિઓના પગના નિશાન છે. તેથી ચોથો કોઈશખ્સ સામેલ હોવો જોઈએ તેવું લાગે છે.