મુખ્ય સમાચાર
News of Monday, 16th April 2018

મક્કા મસ્જિદના બ્લાસ્ટના દિવસે ૩ બોમ્બ પણ મળ્યા

બ્લાસ્ટ વેળા પાંચ હજાર લોકો મસ્જિદમાં હતાઃ બપોરે મોબાઇલ મારફતે બ્લાસ્ટ થતાં અંધાધુંધી ફેલાઈ

હૈદરાબાદ,તા. ૧૬: હૈદરાબાદમાં ઐતિહાસિક મક્કા મસ્જિદમાં ૧૮મી મે ૨૦૦૭ના દિવસે બપોરે શુક્રવારના દિવસે નમાઝ વેળા બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. મોબાઇલ સુચન પર આધારિત પાઈપ બોમ્બથી આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ થયો ત્યારે મસ્જિદમાં પાંચ હજાર લોકો હતા. આ બોમ્બ મસ્જિદમાં સંગમરમરની બેંચની નીચે ગોઠવવામાં આવ્યો હતો. બ્લાસ્ટમાં નવ લોકોના મોત થઈ ગયા હતા અને ૫૮ લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ બાદ હિંસક પ્રદર્શન થયા હતા જેમાં કેટલાક લોકોના મોત પોલીસ ગોળીબારમાં થયા હતા. તપાસ કરવામાં આવતા મક્કા મસ્જિદમાં બીજા ત્રણ બોમ્બ મળી આવ્યા હતા. જે પૈકીના બે બોમ્બ વજુખાનાની નજીક મળ્યા હતા અને એક બોમ્બ મસ્જિદની દિવાલ નજીક મળી આવ્યો હતો.  આ મામલામાં હિંદુ આંતકવાદી સંગઠનને લઈને આક્ષેપબાજી બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં હિંદુ ત્રાસવાદીની સંડોવણી હોવાનો આક્ષેપ થતા દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. બ્લાસ્ટ કેસમાં અસીમાનંદ હાલમાં જામીન પર હતા. કોર્ટે આજે તમામને જામીન આપી દીધા હતા. જોકે તેમના ઉપર કેટલીક શર્તો મુકવામાં આવી છે. શરૂઆતમાં આ કેસમાં સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ આ કેસને સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. સીબીઆઈએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ૨૦૧૧માં આ કેસ સીબીઆઈ પાસેથી લઈને એનઆઈએને સોંપાયો હતો. દસ લોકો આમા આરોપી તરીકે હતા. જેમાં કેટલાક હિંદુ સંગઠન સાથે સંબંધ હોવાની વાત થઈ હતી. રાજસ્થાન કોર્ટે થોડાક સમય પહેલા એક મહત્વનો ચુકાદો આપ્યો હતો જેમાં અજમેર દરગાહ કેસમાં ગુપ્તા અને અન્યોને કારાવાસની સજા કરવામાં આવી હતી.

કોણ કોણ નિર્દોષ.....

મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં આજે ચુકાદો આપવામાં આવ્યો હતો. કયા કયા આરોપી નિર્દોષ છુટ્યા છે તે નીચે મુજબ છે.

   સ્વામી અસીમાનંદ ઉર્ફે નાબાકુમાર સરકાર (નિર્દોષ)

   ભરત મોહનલાલ રાતેશ્વર ઉર્ફે ભરતભાઈ (નિર્દોષ)

   રાજેન્દ્ર ચૌધરી (નિર્દોષ)

   દેવેન્દ્ર ગુપ્તા (નિર્દોષ)

   લોકેશ શર્મા (નિર્દોષ)

(7:53 pm IST)