નવી દિલ્હીના શિક્ષકે મહિલાને બંધક બનાવીને અશ્લીલ ચેનચાળા કરતા ભારે રોષઃ પરીણીત હોવા છતા મહિલાઓને નિશાન બનાવતો
નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં શિક્ષકે મહિલા સાથે અભદ્ર ચેનચાળા કરતા ખળભળાટ મચી ગયો છે. દારૂના નશામાં ચેનચાળા કર્યા હોવાનુ ખુલ્યું છે.
સંદીપ પર છેડતી, મહિલાઓનો પીછો કરવાનો અને હત્યાની કોશિશ વગેરે 30થી વધુ કેસ નોંધાયા છે. તે સાઉથ દિલ્હીની એક નામી સ્કૂલમાં માર્શલ આર્ટનો ટીચર હતો. તેણે આ પ્રકારના ગુનામાં જેલની સજા પણ થઈ છે. તે પરણિત છે અને તેની 12 વર્ષની દીકરી પણ છે. સંદીપ સાઉથ દિલ્હીમાં આવી ઘટનાઓને અંજામ આપે છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું, “મેરિડ હોવા છતાં સંદીપ એક મહિલાથી આકર્ષિત થયો અને તેનો પીછો કરવા લાગ્યો. તે જબરજસ્તી મહિલાના ઘરમાં ઘૂસી ગયો. ડરેલી મહિલાએ ત્યાંથી નીકળવાની કોશિશ કરી પણ સંદીપે તેને બંધક બનાવી લીધી. તેણે મહિલા સામે હસ્થમૈથુન કરવાનું શરુ કર્યું અને તે ત્યાંથી ભાગી ગઈ. પછી તે મહિલાની પાછળ ભાગ્યો અને મહિલા બીજા માળેથી નીચે પડી. મહિલાને ઘણી ઈજાઓ થઈ.” સંદિપની સામે તે સમયે હત્યાની કોશિશનો કેસ નોંધાયો હતો.
સંદિપ વસંત કુંજની એક કૉલેજમાં માર્શલ આર્ટ્સના ક્લાસના ટીચર બની ગયો. કેટલાક વર્ષ પછી તેમણે સ્કૂલ બદલી અને કેટલાક મહિના પછી તેના લગ્ન થયા. લગ્ન પછી સંદીપની ગુનાહિત પ્રવૃતિઓ શરુ થઈ.
દારુને દોષ માનીને સંદીપે પોલીસને જણાવ્યું કે તે દારુ પીધા પછી મહિલાઓની છેડતી કરે છે અથવા તો તેમની સામે જઈને હસ્થમૈથુન કરે છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, “હું દિવસના સમયે શાંત રહું છું. મારા સ્ટૂડન્ટ્સ મારાથી ખુશ રહે છે અને તેમને મારાથી કોઈ તકલીફ નથી. હા, કેટલાક સ્ટૂડન્ટ્સ મારાથી ડરે છે પણ ખબર નહીં કેમ.” જોકે, આ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે કે તે સ્કૂલમાં સંદિપ સામે કોઈ શારીરિક શૌષણનો મામલો બન્યો છે કે નહીં.
એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું, “શુક્રવારે જ્યારે સંદીપે બે મહિલાઓ સામે અશ્લિલ ચેનચાળા કર્યા તો તેણે તેનો પીછો નહોતો કરવો. તે ટારગેટની રાહ જોઈ રહ્યો હતો અને તેને મહિલા દેખાઈ અને તેણે અશ્લિલ ચેનચાળા શરુ કરી દીધા.”