News of Monday, 16th April 2018
મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસનો સોમવારે ચુકાદો આવવા સંભવ
હૈદરાબાદ : ૨૦૦૭ના મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસનો ચુકાદો અહીંની સ્પેશ્યલ એનઆઈએ કોર્ટ સોમવારે જાહેર કરે તેવી પૂરી સંભાવના છે. આ વિસ્ફોટમાં નવનાં મોત થયા હતા અને 54 ને ઇજા થઇ હતી.
18 મે ૨૦૦૭ના રોજ અહીંની ઐતિહાસિક મક્કા મસ્જિદ માં ભયાનક વિસ્ફોટ થયો હતો. જુમ્માની નમાજ દરમિયાન થયેલા વિસ્ફોટમાં નવનાં મોત થયા હતા જયારે ૫૪થી વધુ લોકોને ઈજા થઈ હતી.
(9:12 am IST)