જમ્મુ-કાશ્મીરમાં ઇદ પછી ચૂંટણી થવાની શકયતા : 8 તબક્કામાં થઇ શકે છે મતદાન
ત્રીજી જુલાઈએ રાજ્યમાં લગાવેલ રાષ્ટ્રપતિ શાસન 6 મહિના પુરા થઇ જશે.
જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ શકે છે. ચૂંટણી કમિશનના સૂત્રોએ જણાવ્યું છે કે રમઝાન પછી અને અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલા વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે. રમઝાન 4 જૂન પૂર્ણ થઈ રહી છે અને અમરનાથની યાત્રા પહેલી જુલાઈથી શરૂ થઈ રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી 5 જૂન થી 30 જૂન વચ્ચે જ શક્ય છે. માનવામાં આવી રહ્યું છે કે 8 તબક્કામાં વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે.
ચૂંટણી કમિશનએ વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્ય મંત્રાલય અને ગૃહમંત્રાલયને જણાવી દીધું છે. ચૂંટણી છ થી આઠ તબક્કામાં થઈ શકે છે. લોકસભાની ચૂંટણી માટે રાજ્યમાં 70 હજારથી વધુ અર્ધલશ્કરી દળોના જવાનો તૈનાત રહશે. આ સિવાય રાજ્ય પોલીસ પણ છે. આગામી 3 જુલાઈએ પૂર્ણ થશે રાજ્યમાં લગાવેલ રાષ્ટ્રપતિ શાસન 6 મહિના પુરા થઇ જશે.