News of Wednesday, 17th February 2021
આસારામ બાપુની તબિયત બગડી : જોધપુરની હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગમાં લઈ જવાયા
જોધપુર (રાજસ્થાન) આસારામ બાપુની સેન્ટ્રલ જેલમાં તબિયત બગડતા તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લઈ જવાયા છેઃ બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુના એકસરે અને બ્લડ રીપોર્ટ લેવાઈ રહ્યા છે : તેમને છાતીમાં દુઃખાવાની અને અસુત થવાની ફરીયાદ કરી હતીઃ ૨૦૧૩માં તેના આશ્રમમાં સગીર વયની યુવતી ઉપર બળાત્કારના ગુનામાં ફરીયાદ દાખલ થયેલ અને ૨૦૧૮માં જોધપુરની સ્પેશ્યલ કોર્ટે આજીવન કેદ ફટકારી હતી : તેઓ ૮૦ વર્ષના છે : આસારામ બાપુને હોસ્પિટલમાં લઈ જવાયા ત્યારે તેઓ સતત પોલીસ કર્મચારીઓને પ્રવચન આપતા રહ્યા હતા.
(3:55 pm IST)