મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

સિંગાપુર મંદિરના દાગીના ગિરવે મુકવા બદલ ભારતીય પુજારી ઉપર વિશ્વાસઘાતનો આરોપ

સિંગાપુરઃ સૌથી પ્રાચીન હિન્દુ મંદિરમાંથી ઘરેણા લઇ ગિરવે મુકી રકમ  ભેગી કરવા બદલ સિંગાપુર મંદિરના ભારતીય પુજારી કાંડાસામી સેનાપતિ (૩૭) ઉપર અપરાધીક વિશ્વાસ ભંગનો આરોપ લાગ્યો છે. આરોપો મુજબ મરિઅજમન મંદિરમાં મુખ્ય પુજારી કાંડાસામી ઉપર ૨૦૧૬ થી ૨૦૨૦ દરમિયાન મંદિરના સોનાના આભુષણો કાઢી અને તેને દુકાનમાં ગિરવે રાખી પૈસા ભેગા કર્યા હતા. કોર્ટને ફરીયાદીઓએ જણાવેલ કે આ રકમ ૨૦ લાખ સીંગાપુર ડોલર (૧૫ લાખ યુએસ ડોલર) થી વધુ હતી. ઉપરાંત કાંડાસામીએ ૧.૪૧ લાખ ડોલર દેશની બહાર મોકલી દીધા છે. ગત ઓગષ્ટમાં દાગીના ગુમ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરતા સમગ્ર કાંડ બહાર આવેલ.

(3:42 pm IST)