News of Monday, 17th February 2020
હરિદ્વારમાં ઓશો પ્રેમ નિદા આશ્રમ ખાતે પ દિવસીય 'જશ્ન-એ-રંગ'
હરિદ્વાર તા. ૧૭: ઓશોના પ્રખર અનુયાયી અને તેમના વિચારોનો પ્રસાર-પ્રચાર કરી રહેલા પૂ. માધવી મા (ડો. માધવી પંચાલ) થી સૌરાષ્ટ્રના હજારો ઓશો પ્રેમી ભાઇ-બહેનો સુપરિચિત છે. માધવી માના સાન્નિધ્યમાં હરિદ્વાર ખાતે આગામી ૭ થી ૧૧ માર્ચ સુધી પાંચ દિવસ માટે ''જશ્ન-એ-રંગ'' ની અનોખી શિબિરનું આયોજન થયું છે. શિબિર અંગેની માહિતી, તેમાં જોડાવા માટેની વિગતો ફોન નં. ૦૮પ૮૮૮૩૧૧૬ર, ૮૩૧૯ર૩૮૮૭ર અને ૯૯૧૪૮૧૬૭૪૭ ઉપરથી મળી શકશે.
(12:53 pm IST)