મુખ્ય સમાચાર
News of Sunday, 17th January 2021

કોવિશીલ્ડ અને કોવેક્સિનની કિંમત આટલી કેમ છે : કોંગ્રેસ

કોંગ્રેસે કેન્દ્ર સરકારને ચાર સવાલો પૂછ્યા : કોરોના વેક્સિનની ઉપલબ્ધતા-કિંમતને લઈને લોકોમાં ઘણી દુવિધા છે : મોદી સરકારની પાસે જવાબ માગ્યો

નવી દિલ્હી, તા. ૧૭ : જીદેશભરમાં કોવિડ વેક્સીનેશન અભિયાનની શરૂઆત થવાના એક દિવસ પછી, કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરી છે. રવિવારે બપોરે એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના મહાસચિવ રણદીપ સિંહ સુરેજવાલાએ નરેન્દ્ર મોદી સરકારે સવાલ કર્યા. કોરોના સામેની લડાઈમાં દેશની સિદ્ધિઓ ગણાવતા સુરજેવાલાએ વેક્સીનને લઈને ચાર મુખ્ય સવાલ કર્યા છે. મોદી સરકારના બધાને મફત વેક્સીન આપવાના વચન, કોવિડ વેક્સીનની કિંમતો અને ખુલ્લા બજારમં વેક્સીનની કિંમતે લઈન કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે આ બાબતે વિસ્તૃત વાત કરતા મોદી સરકારનો જવાબ માંગ્યો છે.

સુરજેવાલાએ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના નિવેદનને ટાંકીને કહ્યું કે, મોદી સરકારે કુલ ૧.૬૫ કરોડ ડોઝ ઓર્ડર કર્યા છે. તેનાથી ૮૨.૫૦ લાખ લોકો કવર થશે. સુરજવાલાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર એ નથઈ જણાવી રહી કે, ભારતની બાકીની વસ્તીને વેક્સીન કેવી રીતે મળશે. એ પણ નથી જણાવાઈ રહ્યું કે, વેક્સીને તેમને મફત મળશે કે નહીં. તે પછી સુરજેવાલાએ દેશમાં ગરીબી રેખા નીચેના પરિવારો, એસસી-એસટી, ઓબીસી વર્ગની સંખ્યા ગણાવતા કહ્યું કે, તેમને મુફત વેક્સીન ક્યારે મળશે? સુરજેવાલાએ પીએમ મોદી, આરોગ્ય મંત્રી હર્ષવર્ધનના નિવેદનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમણે મફત વેક્સીનનું વચન આપ્યું હતું, પરંતુ પલટી ગયા.

કોંગ્રેસના મહાસચિવે કહ્યું કે, એસ્ટ્રાજેનેકાની વેક્સીન 'કોવિશીલ્ડ'ને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા બનાવી રહી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ભારત સરકારને ૨૦૦ રૂપિયા પ્રતિ ડોઝની કિંમતે વેક્સીન સપ્લાય કરી છે. સુરજેવાલાએ કહ્યું કે, એસ્ટ્રાજેનેકાએ તો 'નો પ્રોફિટ' પર વેક્સીન સપ્લાય કરવાનું વચન આપ્યું છે. તેમણે બેલ્જિયમના મંત્રી ઈવા ડી બ્લીકરને ટાંકતા કહ્યું કે, ત્યાં એસ્ટ્રાજેનેકાની વેક્સીન ૧.૭૮ યુરો (૧૫૮ રૂપિયા)માં ઉપલબ્ધ છે. સુરજેવાલાએ પૂછ્યું કે, તો પછી ભારત સરકાર સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને આ જ વેક્સીન માટે વધુ (૨૦૦ રૂપિયા) કેમ આપી રહી છે? વેક્સીનને લઈને સુરેજવાલાએ કહ્યું કે, ભારત બાયોટેકે ૨૯૫ રૂપિયા પ્રતિ ડોઝની કિંમતે વેક્સીન સરકારને સપ્લાય કરી છે. તેમણે પૂછ્યું કે, સરકાર આ વેક્સીન માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની સરખામણીમાં ભારત બાયોટેકને ૯૫ રૂપિયા વધુ કેમ આપી રહી છે? બીજો સવાલ એ છે કે, એવી વેક્સીન કેમ ખરીદવામાં આવી, જેની ફેઝ ૩ ટ્રાયલ હજુ પૂરી નથી થઈ?

સુરજેવાલાએ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પુનાવાલાના નિવેદનનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે કહ્યું હતું કે, તેઓ કોવિશીલ્ડને ઓપન માર્કેટમાં ૧,૦૦૦ રૂપિયા પ્રતિ ડોઝની કિંમતે વેચશે. કોંગ્રેસે પૂછ્યું કે, જ્યારે સકરકારને આ વેક્સીન ૨૦૦ રૂપિયા પ્રતિ ડોઝ મળી રહી છે, તો જીૈંૈંને ઓપન માર્કેટમાં ૫૦૦ ટકા પ્રોફિટ પર વેચવાની મંજૂરી કેમ આપવામાં આવી રહી છે? સુરજેવાલાએ કહ્યું કે, સરકારે પોતે આ વેક્સીન ૨૦૦ રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે ખરીદીને આપવી જોઈએ, નહીં કે, પબ્લિકને ૧,૦૦૦ રૂપિયા પ્રતિ ડોઝના ભાવે ખરીદવા મજબૂર કરવી જોઈએ. તેમણે એમ પણ પૂછ્યું કે, શું કોરોના વેક્સીનને 'જરૂરી દવાઓ'ની રાષ્ટ્રીય યાદીમાં સામેલ કરાઈ છે ખરી?

કોંગ્રેસે મોદી સરકારને પૂછ્યું કે, સીરમ ઈન્સ્ટિટ્યૂટને વેક્સીનને એક્સપોર્ટ કરવાની મંજૂરી કેમ આપવામાં આવી? ખાસ કરીને ત્યારે કે જ્યારે ભારતની બધી વસ્તીને વેક્સીન મળી શકે તેમ નથી. તેમણે કહ્યું કે, સમય આવી ગયો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર સામે આવીને આ સવાલોનો જવાબ આપે.

(9:49 pm IST)