વોન્ટેડ ૬ દુશ્મનોનું હિટ લિસ્ટ તૈયારઃ ગણાઈ રહી છે તેમના મોતની ઘડી
આતંકવાદીઓને મોતના ઘાટ ઉતારવાનો માસ્ટર પ્લાન તૈયાર છે
નવી દિલ્હી, તા.૧૭: હિન્દુસ્તાનની તાકાત જોઈને પાકિસ્તાન અને ત્યાંના અડ્ડા પર છુપાયેલા આતંકી ખૌફના પડછાયામાં જીવવામાં મજબૂર છે. હિન્દુસ્તાને ખુલ્લમ ખુલ્લુ એલાન કરી દીધું છે કે, હવે દુનિયાથી આતંકવાદને નાબૂદ કરવાનો સમય આવી ચૂકયો છે. CDS બિપીન રાવતે પણ આતંકવાદીઓના પેટમાં તેલ રેડાય તેવી વાત કહી છે. આવામાં તમામ આતંકવાદીઓને મોતના દ્યાટ ઉતારવાનો માસ્ટર પ્લાન તૈયાર છે.
લાહૌર એટલે કે જયાં લશ્કર આતંકી હાફીઝ સૈયદ બિલમાં છુપાયેલો છે. બહાવલપુર એ જગ્યા છે જયાં પાકિસ્તાને જૈશ-એ-મોહંમદના આતંકી મસૂદ અઝહરને છુપાવી રાખ્યો છે. હિન્દુસ્તાન હવે પાકિસ્તાનમાં છુપાયેલ બગદાદીઓનો અંત કરવા જઈ રહ્યું છે.
મુંબઈ ૨૬/૧૧ નો ગુનેગાર હાફીસ સઈદ સમજી લે કે, તેનો અંત હવે બહુ દૂર નથી. પાકિસ્તાનનો સૌથી મોટો બગદાદી હાફીસ સઈદ છે. મુંબઈ હુમલાનો ગુનેગાર અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો વડો જે લાહોરમાં બેસ્યો છે. જેને પાકિસ્તાની સતત બચાવતી રહે છે.
પાકિસ્તાનનો બીજો સૌથી મોટો બગદાદી મસૂદ અઝહર છે. જે પઠાણકોટ અને પુલવામા જેવા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે અને જૈશ-એ-મોહંમદનો વડો છે. તેનુ ભરણપોષણ પણ પાકિસ્તાનમાં જ થાય છે. સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ભલે મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યો છે, પરંતુ પાકિસ્તાને અત્યાર સુધી આ આતંકી પર કોઈ કાર્યવાહી કરી નથી. પુલવામા હુમલાનો ગુનેગાર મસૂદ અઝહર હજી પણ ગભરાયેલો છે, કે તેનો હાલ પણ બગદાદી જેવો ન થાય.
વર્ષ ૧૯૯૩માં દેશની આર્થિક રાજધાની મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી અને આતંકનો પર્યાય ગણાતા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમને બગદાદી નંબર ૩ તરીકે જોવામા આવે છે. ગત એક દિવસ પહેલા જ પાકિસ્તાનમાં દાઉદના રહેણાંક વિસ્તારની માહિતી મળી હતી. આવામાં જલ્દી જ ખૂંખાર આતંકી દાઉદને પણ મોતના દ્યાટ ઉતારાશે.સૈયદ સલાહુદ્દીન આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનનો વડો છે. જે પાકિસ્તાનમાં બેસીને કાશ્મીરની દ્યાટીમાં પોતાના ઓપરેશનને અંજામ આપે છે. પાકિસ્તાનનો આ આતંકી કાશ્મીરમાં અમન અને શાંતિ બગાડવા માટે પહેલા જવાબદાર છે. હિજબુલના ચીફ અને કાશ્મીરમાં આતંક ફેલાવવામાં પાકિસ્તાનનો મદદગાર સલાહુદ્દીન પણ સાંભળી લે કે તે હવે વધુ દિવસનો મહેમાન નથી.
પાકિસ્તાનના ચોથા નંબરનો બગદાદી ઝકીઉર રહેમાન લખવી છે. મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ આતંકી સંગઠન લશ્કરનો ટોપ કમાન્ડર છે. તેને પાકિસ્તાન સરકારનું રક્ષણ પણ મળ્યું છે. મુંબઈના ૨૬/૧૧ હુમલાનો માસ્ટર માઈન્ડ લખવી પણ ઈન્ડિયન આર્મીના ટાર્ગેટ પર છે.