જયપુરમાં પ્રેમિકાના પતિને દરવાજે જોઇને યુવકે પાંચમાં માળેથી ઝંપલાવતા મોત
મહિલા અને તેનો પતિ ફરાર થતા તેની શોધખોળ
જયપુર તા.૧પઃ પોતાની પ્રેમીકાના પતિથી ડરીને એક યુવકે શહેરના પ્રાતપનગરમાં એપામેન્ટના પાંચમાં માળેથીછલાંગ લગાવી દીધી હતી. ઇજાગ્રસ્તનું એસએએમએસ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું ત્યારથી મહિલા અને તેનો પતિ બંને ફરાર છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છેમૃતક ઉંત્તરાખંડનો રહેવાી હતો. પોલીસ મહિલા અને તેના પતિનેશોધી રહી છે.
મૃતકની ઓળખ મોહસીન તરીકે કરવામાં આવી છે તે ઉંત્તરાખંડના નૈનીતાલનો રહેવાસી હતો બે વર્ષ પહેલા તે એક પરિણીત મહિલાને જયપુર લાવ્યો હતો. હવે બે વર્ષ બાદ મહિલાનો પતિ તેને શોધતો જયપુર આવ્યો હતો.
જયારે મહિલાની પતિ એપાર્ટમેન્ટમાં ફલેટની બહાર પહોંચ્યો ત્યારે મોહસીન ગભરાઇ ગયો તેણે ધ્યાન પણ ન આપ્યું કે તે બાલ્કનીમાં ગયો હને પાંચમાં માળેથી કુદી ગયો આ જોઇ મહિલાનો પતિ ત્યાંથી ભાગી ગયો હતો મહિલા તેના પ્રેમીને એસએમએસ હોસ્પિટલ લઇ ગઇ પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયન તેનું મોત નીપજયું હતું.
તેના મૃત્યુ પછી તરત જ મહિલા પણ ભાગી ગઇ હતી પોલીસે તપાસ શરૂ કરી છે મહિલા અને તેના પતિની શોધ ચાલુ છે.હાલ બંને મોબાઇલ નંબર બંધ આવી રહ્યા છે.