મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

પૂંછના મનકોટ સેક્ટરમાં પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ: કર્યો :બેફામ ગોળીબાર રહેણાંક વિસ્તારોમાં મોર્ટારમારો

ભીખાચક, ઠાકુરપુરા, કિંગડા દે કોઠે અને અભિયાલ ડોગરામાં પણ ફાયરિંગ કર્યું

 

શ્રીનગર : પાકિસ્તાને  પૂંછ જિલ્લામાં મનકોટ સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો પાકિસ્તાને ભારતીય સેનાની ચોકીઓ અને રહેણાંક વિસ્તારોમાં મોર્ટારમારો અને ગોળીબાર શરૂ કરી દીધો હતો. ઉપરાંત પાકિસ્તાન તરફથી ભીખાચક, ઠાકુરપુરા, કિંગડા દે કોઠે અને અભિયાલ ડોગરામાં પણ ફાયરિંગ થયું હતુ. પાકિસ્તાને એલઓસી પાસે આવેલા બખ્તૂર વિસ્તારમાં પણ મોર્ટારમારો શરૂ કર્યો હતો. જેના કારણે ત્યાંના ગ્રામીણોમાં દહેશત ફેલાઇ હતી.

(12:12 am IST)