News of Monday, 16th December 2019
સરહદે પાકિસ્તાનની નાલાયકી : ભારતીય સેનાએ બે સૈનિકોને ઠાર માર્યા : અનેક ચોકીઓ ફૂંકી મારી
યુદ્ધવિરામ ભંગની આડમાં આતંકવાદીઓની ઘૂસણખોરીનો પ્રયાસ
શ્રીનગર : પાકિસ્તાને સરહદે નાલાયકી યથાવત રાખી છે. જમ્મુ-કાશ્મીરના એલઓસી પર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગની આડમાં આતંકવાદીઓની ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો પાકિસ્તાનના ગોળીબારમાં ભારતીય સેનાના બે જવાન શહીદ થયા. હતા જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને મોટી ખુંવારી થઇ હોવાનું જણાવાયું છે. ભારતીય સેનાની કાર્યવાહીમાં પાકિસ્તાનની ઘણી ચોકીઓ તબાહ કરી છે. જ્યારે કે બે પાકિસ્તાની સૈનિક ઠાર થયા છે. સૈન્ય પ્રવક્તા મુજબ પલાંવાલા-સુંદરબની સેકટરના કેરી બટ્ટલ વિસ્તારમાં સોમવારની સાંજે શંકાસ્પદ મુવમેન્ટ જોવા મળી હતી.
(11:37 pm IST)