મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

આપણે વિદ્યાર્થી પ્રદર્શનોમાં ઘૂસી રહેલ જેહાદીઓથી સાવધાન રહેવું જોઇએઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણએ સોમવારના કહ્યું મને ખ્‍યાલ નથી કે જામિયામા કાલે રાત્રે શું થયુ. આપણે વિદ્યાર્થી પ્રદર્શનોમાં ઘૂસી રહેલ જેહાદીઓ, માઓવાદીઓ અને અલગાવવાદીઓથી સાવધાન રહેવું જોઇએ.

એમણે આરોપ લગાવ્‍યો કે કોંગ્રેસ નાગરિકતા સંશોધન કાનૂન જેવા મુદા પર લોકોની ભાવનાઓને  ભડકાવી રહી છે. સીતારમણએ આગળ કહ્યું કે આ કોંગ્રેસની હતાશાને દર્શાવે છે.

(11:27 pm IST)