મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

વિદ્યાર્થીઓની ભાવનાને થયેલ નુકસાન કેવી રીતે ભરપાઇ થશે ? જામિયાની કુલપતિની વેદના

જામિયા મિલ્લિયા ઇસ્‍લામિયા યુનિવર્સિટીની કુલપતિ નજમા અખ્‍તરએ કહ્યું છે કે કેમ્‍પસમા પરવાનગી વગર ઘૂસેલ પોલીસ વિરૂદ્ધ એફઆઇઆર કરવામા આવશે.

એમણે કહ્યું સંપતિઓને નુકસાન પહોંચ્‍યુ, સંપતિઓ બીજી વખત બની શકે પણ વિદ્યાર્થી જે ચીજોમાંથી પસાર થયા તેની ભરપાઇ નહી થઇ શકે. એમણે ર વિદ્યાર્થીઓના મોતની વાતને નકારતા કહ્યું કે લગભગ ર૦૦ લોકો ઘાયલ થયા છે અમે મામલાની ઉચ્‍ચસ્‍તરીય તપાસની માંગ કરીએ છીએ.

(10:25 pm IST)