દિલ્હીની જામિયા યુનીવર્સીટીના વિધાર્થીઓના સમર્થનમા : દારુલ ઉલમ અને મૌલાના આઝાદ યુનીવર્સીટીમા પ્રદર્શન
લખનઉમા દારુલ ઉલમ નદવતુલ યુનિવર્સીટી અને હૈદરાબાદના મૌલાના આઝાદ યુનીવર્સીટીના વિધાર્થીઓએ પ્રદર્શન કર્યું
નવી દિલ્હી : દેશમા નાગરિકતા સંશોધન બિલના વિરોધમા દિલ્હીના જામિયા મીલીયા ઉસ્માનિયા યુનીવર્સીટીના વિધાર્થીઓ અને અલીગઢ મુસ્લિમ યુનીવર્સીટીના વિધાર્થીઓએ કરેલા વિરોધ પ્રદર્શન બાદ હવે લખનઉમા દારુલ ઉલમ નદવતુલ યુનિવર્સીટીના વિધાર્થીઓએ પણ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. જેમાં જામિયા અને એએમયુના વિધાર્થીઓ પર પોલીસે કરેલી બર્બરતાના વિરોધમા વિધાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે. જેમા પોલીસ અને વિધાર્થીઓ વચ્ચે ઝડપ થઈ છે અને પથ્થરમારો પણ કરવામા આવ્યો છે.
આ ઉપરાંત લખનઉની નદવા કોલેજ પર લખનઉ એસપીએ કહ્યું કે માત્ર ૩૦ સેકન્ડ માટે પ્થ્થરમારો થયો હતો. જેમાં વિરોધ કરી રહેલા ૧૫૦ લોકો નારા લગાવતા સામે આવ્યા હતા. અત્યારે સ્થિતિ સામાન્ય છે. તેમજ વિધાર્થીઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે.
આ ઉપરાંત હૈદરાબાદના મૌલાના આઝાદ યુનીવર્સીટીના વિધાર્થીઓ પણ જામિયા યુનિવર્સીટીના વિધાર્થીઓ પર થયેલી હિંસાના સમર્થનમા આવ્યા છે. તેમજ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન બિલને લઈને રવિવારે રાત્રે દક્ષિણ દિલ્હીમા થયેલી હિંસક અથડામણો બાદ તે શાંત થયું છે. જો કે તેની બાદ આજે પણ સોમવારે તણાવ હજુ યથાવત છે. જેમા સોમવારે સવારે જામિયા વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. તેમજ પોલીસ કાર્યવાહી વિરુદ્ધ સતત પ્રદર્શન કરી રહ્યા છે. તેમજ વિધાર્થીઓ આ ઘટનાની સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. તેમજ આ મામલે સુપ્રિમ કોર્ટને દખલ કરવા અપીલ કરી છે