આલેલે!! પાકિસ્તાનમાં સુસાઇડ ઍટેક માટે ભારત ૧ કરોડ આપે છે!! નેતાની હત્યા માટે ૫ કરોડ!!
હાંફળી ફાંફળી બનેલ પાકિસ્તાની લશ્કરનો આરોપ
ઇસ્લામાબાદ : પાકિસ્તાન દ્વારા સરહદ પર કરાયેલા ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યા બાદ પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનની સરકારની બોખલાહટ વધી ગઈ છે.
હવે પાકિસ્તાન ભારત પર મનદ્યડંત આક્ષેપો કરવા માંડ્યુ છે અને ઉલટાનુ ભારત પર જ પાકિસ્તાનમાં આતંક ફેલાવવાના હાસ્યાસ્પદ આક્ષેપ કરવા માંડયુ છે.આતંકીઓને ઉછેરનાર પાક સેનાઍ આરોપ લગાવ્યો છે કે, ભારતની જાસૂસી સંસ્થા ‘‘રો’’ દ્વારા પાકિસ્તાનમાં દરેક આત્મઘાતી હુમલા બદલ ઍક કરોડ રુપિયા ચુકવવામાં આવી રહ્ના છે.તાજેતરમાં જ ભારત દ્વારા ૨૦ આતંકીઓને પાકિસ્તાન અફઘાનિસ્તાન સીમા પર લાવવામાં આવ્યા છે. ભારત દ્વારા દાયશ ઍ પાકિસ્તાન નામનુ સંગઠન બનાવવા માટે યાસો કરવામાં આવી રહ્ના છે.
પાકિસ્તાની સેનાઍ વધુમાં લવારો કરતા કહ્ના હતુ કે, ભારત દ્વારા ૮૭ આતંકવાદી કેમ્પો ચલાવવામાં આવી રહ્ના છે.આ પૈકીના ૬૬ કેમ્પ અફઘાનિસ્તાનમાં ચાલી રહ્ના છે. રો દ્વારા મહત્વપૂર્ણ વ્યક્તિઓની હત્યા માટે માથા દીઠ પાંચ કરોડથી આઠ કરોડ રુપિયા ઈનામ આપવામાં આવી રહ્ના છે.ભારતે બલૂચિસ્તાનમાં આતંકવાદ ફેલાવવા માટે ઍક સંગઠન બનાવ્યુ છે.
ગઈકાલે પણ પાકિસ્તાને કહ્ના હતુ કે, પાકિસ્તાન અને ચાઈનાના ઈકોનોમિક કોરિડોરને બરબાદ કરવા માટે ભારતે ૮૦ અબજ રૂપિયા ફાળવ્યા છે અને ૭૦૦ આતંકવાદીઓની ઍક ટુકડી બનાવી છે.જે બલુચિસ્તાનમાં કોરિડોરને નિશાન બનાવતા રહેશે.