મુખ્ય સમાચાર
News of Saturday, 16th November 2019

આર્થિક મંદી મુદ્દે કોંગ્રેસ ૩૦ નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં રેલી કરશે

વિપક્ષી દળોના નેતાઓ સામેલ થાય તેવી શકયતા

નવી દિલ્હી તા. ૧૬ : આર્ર્થિક મંદીને લઇને હવે સરકાર સામે કોંગ્રેસ બાયોચઢાવશે, રીપોર્ટ પ્રમાણે મંદી મુદે મોદી સરકાર સામે કોંગ્રેસ રેલી કરીને વિરોધ નોંધાવશે. રિપોર્ટ છે કે દિલ્હીના રામલીલા મેદાનમાં આ રેલી યોજાશે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ આર્થિક મંદીને લઇને ૩૦ નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલી કરશે અને સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવશે. આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનીયા ગાંધી, ભુતપુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓ લોકોને સંબોધીત કરશે. સાથે મુખ્ય વિપક્ષી દળોના નેતાઓ પણ સામેલ થશે. હવે આર્થિક મોરચે સરકારને સંસદની અંદર અને બહાર બંન્ને જગ્યાઓ ઘેરવાની તૈયારીઓ છે. રીપોર્ટ પ્રમાણે કોંગ્રેસ અને વિપક્ષ એક સાથે આવીને બેરોજગારી, મંદી, ખેડુતોની આત્મહત્યા બેન્કિંગ સિસ્ટમમાં ગરબડી સહિતના આર્થિક સંકટના મુદાઓ પર દેશવ્યાપી પ્રદર્શન કરશે. આ પ્રદર્શન ૧ ઓકટોબરે થવાનું હતુ પણ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચુંટણીને લીધે પ્રદર્શનનો કાર્યક્રમ આગળ ખસેડવામાં આવ્યો હતો.

(11:38 am IST)