મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

નોટબંધી દેશનો સૌથી મોટો ભ્રષ્ટ્રાચારઃ રાહુલ ગાંધી

મધ્યપ્રદેશના સાગરમાં વિશાળ ચૂંટણી સભા સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ :કોંગ્રેસ સત્તામાં આવશે તો ૧૦ દિવસમાં ખેડૂતોના દેણા માફ કરીશું નહી તો સરકાર બદલીશું

સાગરઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના સાગરમાં કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય હર્ષ યાદવના સમર્થનમાં જનસભાને સંબોધી હતી. રાહુલે કોંગ્રેસ સત્તામાં આવશે તો ૧૦ દિવસની અંદર ખેડૂતોના દેવા માફ કરવા અને યુવાનોને રોજગારી આપવાનો વાયદો કરેલ.

રાહુલે નોટબંધી ઉપર ચાબખા મારતા જણાવેલ કે નોટબંધી દેશનો સૌથી મોટો ભ્રષ્ટ્રાચાર છે. આ વાત આવનાર સમયમાં સાબીત પણ થઈ જશે. નોટબંધી દરમિયાન ખેડૂતો, મજુરો, માતાઓ, બહેનો લાઈનમાં ઉભા હતા પણ હિન્દુસ્તાનના ચોર મેહુલ ચોકસી- નિરવમોદી અને કોઈ અરબપતિ લાઈનમાં ન હતો.

કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં જણાવેલ કે અમે ખોટા વાયદાઓ નથી કરતા. અમારી સરકાર આવશે તો અમે ૧૦ દિવસમાં ખેડૂતોનું કરજ માફ કરી દેશું અને જો એમ ન કરી શકયા તો તેને બદલવામાં આવશે. ઉપરાંત તેમણે મધ્યપ્રદેશમાં શિક્ષા અને સ્વાસ્થ્ય સેવાને સારી બનાવવા અંગે પણ જણાવ્યું હતું.

(3:49 pm IST)