News of Saturday, 16th October 2021
કાશ્મીરમાં પરપ્રાંતિય એક બિહારી અને યુપી નાગરિકની હત્યા થઇ: આતંકીઓએ આ મહિનામાં ૫ લઘુમતીઓની હત્યા કરી
(સુરેશ એસ દુગ્ગર દ્વારા ) જમ્મુ: કાશ્મીરમાં આજે આતંકવાદીઓએ વધુ એક બિહારીની હત્યા કરી છે. જ્યારે યુપીનો એક નાગરિક ગંભીર રીતે ઘાયલ થયો હતો, તેનું પણ મોત થયું હતું. કાશ્મીરમાં આ મહિને અત્યાર સુધી આતંકવાદીઓએ ૫ લઘુમતીઓની હત્યા કરી છે.
પોલીસે જણાવ્યું કે મોડી રાત્રે આતંકવાદીઓએ બિહારના અરવિંદ કુમાર અને શ્રીનગરના ઇદગાહ મેદાન વિસ્તારમાં પુલવામામાં યુપીના રહેવાસી સગીર અહેમદ પર ગોળીબાર કર્યો હતો. અરવિંદ કુમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે યુપીના નાગરિકનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું.
(8:52 pm IST)