મુખ્ય સમાચાર
News of Tuesday, 16th October 2018

મહિલાઓઅે આ પ્રકારના ખોટા કામનો વિરોધ કરવો જોઇઅે, આવી ઘટના પછી તરત બોલવુ જોઇઅેઃ રાધેમા દ્વારા મહિલાઓને સલાહ

દેશભરમાં સોશિયલ મીડિયા દ્વારા શરુ થયેલા #MeToo કેમ્પેન દ્વારા ઘણી મહિલાઓએ પોતાની પર થયેલા શારીરિક શોષણ અંગે ખુલીને વાત કરી રહી છે. આ કિસ્સામાં જેમની પર આરોપ લગાવવામાં આવ્યા છે તેમાં મોટા નામોનો પણ સામાવેશ થાય છે. આવી સ્ત્રીઓને પોતાને સંત ગણાવનાર સુખવિંદર કૌર ઉર્ફે ‘રાધેમા’એ સલાહ આપી છે.

આ છે રાધેમાની સલાહ

રાધેમા મુંબઈમાં નવરાત્રિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ત્યાં પત્રકારોએ તેમને ઘેરી લીધા અને તેમને Me Too અંગે સવાલ કરવા લાગ્યા. તેમણે મહિલાઓને સલાહ આપીને કહ્યું, આ પ્રકારના ખોટા કામનો વિરોધ કરવો જોઈએ, પણ તેમણે ઘટના બન્યા પછી તરત બોલવું જોઈએ.

#MeToo કેમ્પેન

જણાવી દઈએ કે અભિનેત્રી તનુશ્રી દત્તાએ અભિનેતા નાના પાટેકર સામે હેરેસમેન્ટનો આરોપ લગાવ્યા બાદ #MeToo કેમ્પેન શરુ થઈ ગયું. આ પછી ઘણાં સેલિબ્રિટિ, પત્રકારો અને રાજકીય હસ્તીઓના નામ સામે આવ્યા અને તેમના પર હેરેસમેન્ટના આરોપો લગાવાયા.

(12:00 am IST)