મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

કેમ જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમને ત્યાં જવા માટે અનુમતિ લેવી પડી રહી છેઃ ઓવૈસીનો હુંકાર

     એઆઇએમઆઇએમ પ્રમુખ અસદુદીન ઓવૈસીએ સોમવારના કહ્યું કે  શા માટે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી (ગુલામનબી આઝાદ) ને જમ્મુ-કાશ્મીર જવા માટે સુપ્રિમ કોર્ટની અનુમતિ લેવાની જરુરત પડી રહી છે.

     આના પરથી ખ્યાલ આવે છે કે ત્યાં બધુ સામાન્ય નથી. એમણે કહ્યુ જો સરકાર બધુ સામાન્ય હોવાનો દાવો કરી રહી છે તો રાજનીતિ કેમ નથી થઇ શકતી. ગુલામનબી આઝાદને સુપ્રીમ કોર્ટે અનુમતિ આપી છે.

(11:02 pm IST)