પશ્ચિમ બંગાળના વાઘણ કુણા પડ્યા ! : મમતાએ માંગ્યો પીએમ મોદી પાસે મુલાકાત માટેનો સમય
કાલે દીદી દિલ્હી આવે તેવી શક્યતા : પ્રસ્તાવિક બેઠક મહત્વપૂર્ણ મનાય છે
નવી દિલ્હી :કેન્દ્રની મોદી સરકાર સામે નહોર ભરાવતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કુણા પડ્યાનું મનાય છે મુખ્યમંત્રી મમતા બનરેજીએ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાથે મુલાકાત કરવાનો સમય માગ્યો છે. કોલકાતા રાજ્ય સચિવાલયનાં સૂત્રોએ આ બાબતની પુષ્ટિ કરી હતી
. મમતા દીદી મંગળવારે એટલે કે દિલ્હી આવે તેવી શક્યતા છે, જો કે વડાપ્રધાન મોદી મંગળવારે જ પોતાનાં જન્મ દિવસ મનાવવા માટે ગુજરાત જઇ રહ્યા છે
બીજી તરફ રાજ્યનાં પ્રશાસનિક અધિકારીઓએ જણાંવ્યું કે આ એક સત્તાવાર મુલાકાત છે, જેનો સંબંધ પશ્ચિમ બંગાળ સાથે છે. પ્રસ્તાવિત બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ બેઠક તે સમયે થવા જઇ રહી છે, જ્યારે બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસનાં અનેક નેતાઓ અને કોલકાતા પોલીસનાં પૂર્વ કમિશ્નર રાજીવ કુમાર શારદા ચિટ ફંડ કૌભાંડમાં સીબીઆઇ તપાસનો સામનો કરી રહ્યા છે.