મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

જમ્મૂ કાશ્મીરના આતંકીઓ સાથે ખાલિસ્તાની ઉગ્રવાદીઓનું ગઠબંધનઃ સુરક્ષા એજન્સીઓ દ્વારા ચેતવણી

જમ્મુના લખનપુરમાંથી પકડાયેલા જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓના હેન્ડલર અને અન્ય સાથીદારોને પકડવા પોલીસે કાશ્મીરથી લઈને પંજાબ સુધી દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પુલવામાથી વધુ બે શકમંદોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે.

બીજી તરફ પકડાયેલા આતંકવાદીઓના મોબાઇલ ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. તપાસ અધિકારીઓનો દાવો છે કે, ટૂંક સમયમાં કાશ્મીરી આતંકવાદીઓ અને ખાલિસ્તાની ઉગ્રવાદીઓના ગઠબંધન અને એક મોટા હવાલા નેટવર્કનો પર્દાફાશ થશે.

(3:49 pm IST)