મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

બંગાળ પછી તેલંગણાએ કેન્દ્રના નવા કાળમુખા ટ્રાફીક કાનુનને ફગાવી દીધો

નવી દિલ્હીઃ તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્ર શેખર રાવ (કેસીઆર)એ વિધાનસભામાં જાહેર કર્યું છે કે નવા ટ્રાફીક કાનુનનો તેમના રાજયમાં અમલ લાગુ કરવામાં નહિ આવે. રાજય સરકાર ટ્રાફીક નિયમોના ઉલ્લંઘનની સમસ્યાને ભરી પીવા પોતાનો કાયદો અમલમાં લાવશેે. બંગાળના મમતા બેનરજી પછી હવે તેલંગણાએ ધડાકો કરી કેન્દ્રના નવા આકરા ટ્રાફીક કાનુનને ફગાવી દીધો છે.

(1:09 pm IST)