મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

તેલંગાણા : રાવના બંગલા પર શ્વાનના મોતથી વિવાદ

તબીબ પર એફઆઈઆર દાખલ

હૈદરાબાદ, તા.૧૫ : તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવના સત્તાવાર આવાસમાં રહેનાર એક શ્વાનના હસકીની બિમારીથી મોતને લઇને હોબાળો થઇ ગયો છે. શ્વાનના મોત બાદ પોલીસે પશુ તબીબોની સામે એફઆઈઆર દાખલ કરી છે. બણજારા હિલ્સ પોલીસ દ્વારા આ મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. જો આરોપો યોગ્ય સાબિત થશે તો તબીબોને પાંચ વર્ષની જેલની સજા થઇ શકે છે. પોલીસેએનિમલ કેર ક્લિનીકના તબીબ લક્ષ્મી અને ડોક્ટર રણજીતઉપર આઈપીસીની કલમ ૪૨૯ અને ૧૧ હેઠળ એફઆઈઆર દાખલ કરી દીધી છે. ૧૧ મહિનાના શ્વાનના મોતને લઇને પોલીસ કર્મીઓમાં પણ ચર્ચાજોવા મળી રહી છે. મોડી સાંજ સુધી આ શ્વાનની સ્થિતિ સારી હતી.

(12:00 am IST)