News of Thursday, 16th July 2020
17 જુલાઈથી 31 જુલાઈ સુધી યુ.એસ.ભારત વચ્ચે 18 ફ્લાઇટ શરૂ થશે : 18 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી ફ્રાન્સ ભારત વચ્ચે 28 ફ્લાઇટ ઉડાન કરશે : નાગરિક ઉડ્યન મંત્રી હરદીપ પુરીએ આપેલી માહિતી
ન્યુદિલ્હી : કોરોના વાઇરસને કારણે ડોમેસ્ટિક તથા આંતર રાષ્ટ્રીય વિમાની સેવાઓ ઉપર રોક વચ્ચે ભારતના નાગરિક ઉડ્યન મંત્રી હરદીપ પુરીએ આપેલી માહિતી મુજબ 17 જુલાઈથી 31 જુલાઈ સુધી યુ.એસ.ભારત અને 18 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી ફ્રાન્સ ભારત વચ્ચે ફ્લાઇટ શરૂ થશે
આ દિવસો દરમિયાન અમેરિકા અને ભારત વચ્ચે 18 ફ્લાઇટ ઉડાન ભરશે તથા ફ્રાન્સ અને ભારત વચ્ચે 28 ફ્લાઇટ ઉડાન ભરશે.
તેમણે ઉમેર્યું હતું કે જર્મનીથી પણ ભારત વિમાની સેવા માટે વાતચીત ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે વંદે ભારત મિશન અંતર્ગત અત્યાર સુધીમાં 2 લાખ 80 હજાર જેટલા ભારતીયો વતનમાં પરત આવી શક્ય છે.
(7:56 pm IST)