મુખ્ય સમાચાર
News of Monday, 16th July 2018

નિઝામપુરમાં 150 પોલીસના કાફલા સાથે દલિત વરરાજો ચડ્યો ઘોડે

કાસગંજ જનપદના સિટી કોતવાલી પોલીસ સ્ટેશનના નિજામપુર ગામમાં 150 જેટલા પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે દલિત વરરાજો ઘોડે ચડ્યો હતો. દુલ્હનની ઈચ્છા હતી કે તેનો થનાર પતિ તેને ઘોડે ચડી તેને પરણવા માટે આવે. જો કે નિજામપુર ગામમાં દલિતોને ઘોડા પર બેસવાની મંજૂરી ન હોવાથી વરરાજાએ પોલીસની મદદ માંગી હતી. અને  ગામમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરાયા હતા.

(12:45 pm IST)