News of Sunday, 16th June 2019
28મી સુધી ભારતના તમામ વિમાનો માટે બંધ રહેશે પાકિસ્તાનનો હવાઇ માર્ગ
નવી દિલ્હી : પાકિસ્તાનના હવાઇ ક્ષેત્ર 28 જૂન સુધી ભારતના તમામ વિમાનોના આવન-જાવન માટે બંધ રહેશે. આ જાણકારી સિવિલ એવિએશન ઑથોરિટી (CAA) દ્વારા જારી એક નોટિસમાં આપવામાં આવેલી છે.
પાકિસ્તાને બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ 26 ફેબ્રુઆરીથી પોતાનો હવાઇ માર્ગ બંધ કર્યો છે. જો કે 27 માર્ચે પાકિસ્તાને નવી દિલ્હી, બેન્ગકોંક અને કુઆલાલંપુરને છોડીને બાકી બધા માટે પોતાનો હવાઇ માર્ગ ખોલી દીધો હતો. એર સ્ટ્રાઇકમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં સ્થિત જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પોને નિશાન બનાવીને એમને નાશ કરી દીધો હતો.
(4:54 pm IST)