News of Sunday, 16th June 2019
કરચોરીના કેસમા નરેશ ગોયલને સમન્સ
નવી દિલ્લીઃ આવકવેરા વિભાગે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ સામે સમન્સ જારી કરી દીધુ છે. કરચોરીના કેસમાં પુછપરછ માટે નરેશ ગોયલ સામે સમન્સ જારી કરવામા આવ્યા બાદ હવે ઇડી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ એજન્સી દ્વારા પ્રથમ વખત ગેરરીતીના મામલામા સમન્સ જારી કરવામાં આવ્યા છે. વિભાગની તપાસ પાંખે ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં એરલાઇનની મુંબઇ ઓફીસમાં તપાસ કરી હતી.
(1:09 pm IST)