મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

નવજોત કૌરનો આરોપ ;અમરિન્દરસિંહ અને આશાકુમારીએ મારી ટિકિટ કાપી :સિદ્ધુએ કહ્યું મારી પત્ની ખોટું બોલતી નથી

નવજોત કૌર સિદ્ધુએ અમૃતસરથી લોકસભા ટીકિટ નહી આપવાનો આરોપ લગાવીને વિવાદ પેદા કરી દીધો

 

ચંડીગઢ : નવજોત સિંહ સિદ્ધુએ પોતાની પત્ની નવજોત કૌર સિદ્ધુનાં તાજેતરના નિવેદનનું  તેમ કહેતા સમર્થન કર્યું કે, તેઓ ક્યારે પણ ખોટુ નહી બોલે. નવજોત કૌર સિદ્ધુએ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આશા કુમારી પર અમૃતસરથી લોકસભા ટીકિટ નહી આપવાનો આરોપ લગાવ્યો હતો

  પર્યટન અને સંસ્કૃતી મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ જ્યારે તેમની પત્નીના આરોપો અંગે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મારી પત્ની નૈતિક રીતે એટલા મજબુત છે કે તેઓ ક્યારે પણ ખોટુ નહી બોલે. આ મારો જવાબ છે. 

  કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય નવજોત કોર સિદ્ધુએ 14 મેના રોજ આરોપ લગાવ્યો હતો કે, અમરિંદર સિંહ અને પાર્ટીના પંજાબ મુદ્દાના પ્રભારી આશા કુમારીએ તે સુનિશ્ચિત કર્યું કે, તેમને અમૃતસર સંસદીય ક્ષેત્રથી ટિકિટ ન મળે.  ચંડીગઢ લોકસભા સીટ પરથી પણ ટિકિટ ઇચ્છે છે કે કોરે આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રીએ દાવો કર્યે કે તેઓ પોતાનાં દમ પર કોંગ્રેસને રાજ્યની 13 સંસદીય સીટો અપાવવા માટે સક્ષમ છે. 

 

(10:44 pm IST)