કાશ્મીરના પુલવામા અને કૂપવાડામાં ૬ આતંકી ઠાર : એક નાગરિકનું મોત : એક જવાન શહિદ
પુલવામાં આઠ વર્ષથી સક્રિય આતંકી કમાન્ડર સહીત ત્રણ આતંકીઓ ઠાર
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ છ આતંકીઓને ઠાર કર્યા છે જેમાં ત્રણ કુપવાડામાં અને ત્રણ પુલવામાં ઠાર કર્યા છે એક નાગરિકનું પણ મોત નીપજ્યું છે જયારે એક સૈનિક પણ શહીદ થયો છે
સુરક્ષાદળોએ આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન તેજ કરતા આજે પુલવામાં જૈશ એ મોહમ્મના આઠ વર્ષથી સક્રિય આતંકી કમાન્ડર સહીત ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે
અથડામણમાં એક જવાન શહીદ થયો છે જયારે એક નાગરિકનું પણ મોત નીપજ્યું છે દરમિયાન કુપવાડામાં પણ ત્રણ આતંકીઓને મોડીસાંજે ઠાર કરાયા હતા અને શોપિયાંમાં સેના એવા આતંકીઓને શોધી રહી છે જેણે તેના દળ પર હુમલો કર્યો હતો
પુલવામા ત્રણ આતંકીઓને ફૂંકી મરાયા છે જેમાં એક નાગરિકનું મોત નીપજ્યું છે જયારે બે જવાન અને એક નાગરિક ઘાયલ થયો છે સેનાએ ત્રણેય શબને કબ્જે કર્યા છે સાથે મોટાપાયે હથિયારો જપ્ત કર્યા છે
શહીદ જવાનની ઓળખ સંદીપકુમાર તરીકે થઇ છે એબ જવાન અને એક નાગરિકને ઇજા થતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.