News of Thursday, 16th May 2019
સતામાં ફરી આવીશું તો દેશદ્રોહના કાયદાને વધુ કડક બનાવીશું : રાજનાથસિંહ
નવી દિલ્હીઃ પૂર્વ યુપીના મિરઝાપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે બુધવારે ભાજપના કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે કોંગ્રે દેશદ્રોહના કાયદાને સમાપ્ત કરવાની વાત કરે છે પણ ભાજપની સરકાર બનશે તો અમે આ કાયદાને એટલો કડક બનાવી દઈશું કે આંખ દેખાડતા લોકોની આત્મા કંપી ઊઠશે. તેમણે કહ્યું કે પુલવામા હુમલા પછી અમારી સેનાઓએ હવાઈ હુમલા કરી આતંકીઓનો સફાયો કરી નાખ્યો તો કોંગ્રેસે માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા પૂછી લીધી. લાશો ગણવાનું કામ ગીધનું હોય છે બહાદુરોનું નહીં.
(1:24 pm IST)