News of Thursday, 16th May 2019
રર-ર૩-ર૪ વિપક્ષી દિગ્ગજો દિલ્હીમાં પડાવ નાખશે : સાબદા
મોદી સામે એકતા દર્શાવવા
નવી દિલ્હી, તા. ૧૬ : લોકસભા ચૂંટણીના પરિણામોનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે.
વિપક્ષી નેતાઓને રર, ર૩, અને ર૪ મેના દિલ્હીમાં એકઠા થવા માટે સોનિયાજીએ સંદેશ આપ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી કદાચ એવો સંદેશો આપવા માગે છે કે, ચૂંટણીમાં ભલે વિરોધી પાર્ટીઓ ગઠબંધનનો હિસ્સો ન હોય, પણ આપણે બધા મોદી સામે લડયા છીએ અને મોદી સામે એક છીએ.
જો કોઇને સ્પષ્ટ બહુમતી ન મળે એવા સંજોગોમાં કોઇ એક પાર્ટીની જગ્યાએ ગઠબંધન બનાવનારા પક્ષોને સરકાર બનાવવા માટે મોકો મળવો જોઇએ તેવો વ્યૂહ છે.
ર૧ મેના વિપક્ષી પાર્ટીઓએ દિલ્હીમાં બેઠક યોજવા માટે યોજના બનાવી છે. જો કોઇ પાર્ટીને ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી નહીં મળે તો આખા દેશના રાજકીય સમીકરણો બદલાઇ જશે.
(11:36 am IST)