મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

બદરીનાથ મંદિરમાં 'બદ્રી વિશાલ'ને અમેરિકાથી આવેલ અજય શાહે ૩ સોનાના મૂકૂટ ચડાવ્યા

અમેરિકાથી ચાર ધામ યાત્રાએ આવેલ શ્રી અજય શાહ પરિવારે બદ્રી વિશાલને સોનાના ૩ મૂકૂટ ચઢાવ્યા હતા. તેઓ ન્યુ જર્સીમાં રહે છે. બદ્રી વિશાલના કમાડ ૧૦ મેના સવારે ૪ા વાગે ખૂલ્યા હતા. પ્રથમ દિવસેજ ન્યુ જર્સીથી આવેલ શ્રી અજય શાહે પરિવારજનો સાથે ૩ રત્નજડિત સોનાના મૂ કૂટ અને બે સોનાની માલા ભગવાન બદ્રી વિશાલને ભાવપૂર્વક ચઢાવ્યા હતા. જેની કિંમત અનુમાને સવા કરોડની થાય છે. કપાટ ખૂલતા પ્રથમ દિવસે બદરીનાથ મંદિરે ૧પ હજાર ભાવિકોએ ભગવાન બદ્રી વિશાલની અખંડ જ્યોતના દર્શન કર્યા હતા. આ પૂર્વે દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીય મૂળના ગુપ્તા બંધુઓએ બદરીનાથ મંદિરના ગર્ભગૃહની છત ઉપર પાંચ કિલો સોનાના વરખ લગાડાવ્યા હતા.

(10:11 am IST)