નકસલીઓ બેફામ : બિહાર અને છત્તીસગઢમાં વાહનો સળગાવ્યા
છત્તીસગઢ તા. ૧૫ : દેશમાં નકસલી હિંસાના બનાવો બંધ થવાનું નામ જ નથી લઇ રહ્યા. આ વખતે નકસલીઓએ છત્તીસગઢ અને બિહારમાં બાંધકામના કામમાં રોકાયેલા વાહનો અને મશીનોને લક્ષ્ય બનાવ્યું છે. છત્તીસગઢના દાંતાવાડામાં નકસલીઓ, કિરંદુલ પોલીસ સ્ટેશન નજીક ત્રણ ટ્રક અને પોકલૈન મશીન, જયારે બિહારના બારાચટ્ટી વિસ્તારમાં પોકલૈન મશીનને આગ લગાવામાં આવી હતી.
આ પહેલા, કોંડગામ જિલ્લાના મર્દાપાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, નકસલીઓએ શનિવારે રાત્રે રોડ બાંધકામના કામમાં જોડાયેલા વાહનને આગ લગાવી દીધી હતી.સાથે જ તેમણે ધમકી આપી હતી કે જે પણ રસ્તા પર બાંધકામ કરશે, તેને જાહેર અદાલતમાં મૃત્યુદંડની સજા આપવામાં આવશે. ૧૧ મેના રોજ, માઓવાદીઓએ ઓડિશાના મલકાનગિરી જિલ્લાના લૈંડમાઇન ધમાકો કરવામાં આવ્યો હતો.જેમાં ઓડિશા એસઓસીના બે સૈનિકો ઘાયલ થયા હતા.