મુખ્ય સમાચાર
News of Friday, 16th April 2021

ક્ષત્રિય અગ્રણી તથા પૂજ્ય શ્રી રાજશ્રી મુનિના ભાઈ શ્રી વિક્રમસિંહજી જાડેજાનું દુઃખદ અવસાન : 13 એપ્રિલ મંગળવારે અંતિમ શ્વાસ લીધા

સૌરાષ્ટ્રની રણજીટ્રોફી ટીમના પ્લેયર હતા : રાજકોટની વિખ્યાત રાજકુમાર કુમાર કોલેજના વિકાસમાં તેમનું અમૂલ્ય યોગદાન હતું

રાજકોટ : ક્ષત્રિય અગ્રણી તથા પૂજ્ય શ્રી રાજશ્રી મુનિના ભાઈ શ્રી વિક્રમસિંહજી દેવીસિંહજી જાડેજાનું દુઃખદ અવસાન થયું છે. 13 એપ્રિલ મંગળવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ટીમના તેઓ ફાસ્ટ બોલર અને ફટકાબાજ બેટ્સમેન હતા. તેમના કોલેજ કાળ દરમિયાન તેઓ અગ્રણી એથ્લેટ તથા હોકી પ્લેયર હતા.

રાજકોટની વિખ્યાત રાજકુમાર કોલેજના વિકાસમાં તેમનું ખુબ મોટું અને અવિસ્મરણીય યોગદાન હતું. કોલેજના બાંધકામ, ટેક્નોલોજી તેમજ કેમ્પસ વિકાસમાં તેઓ ખુબ મદદરૂપ થયા હતા. તેઓ ઇતિહાસના અધ્યાપક તથા હોકી કોચ હતા. તેમણે ડિરેક્ટર ઓફ ગેમ્સ, સ્પોર્ટ્સ એન્ડ  હાઉસ માસ્ટર તરીકેનું સ્થાન હાંસલ કર્યું હતું. તેઓ પોતાના શબ્દોમાં દ્રઢ લાગણી ,અને કાર્યોમાં પારદર્શકતા ધરાવતા  હતા.

તેમના દ્વારા થતી પ્રસંશાના શબ્દો સામી વ્યક્તિને ખુબ ઊંચાઈ બક્ષનારા બની જતા હતા. હજ્જારો વિદ્યાર્થીઓ માટે તેઓ પ્રેરણાસ્ત્રોત હતા.

ૐ    શાંતિ                   ૐ    શાંતિ               ૐ     શાંતિ

(12:00 am IST)