યુ.એસ.માં શ્રી દ્વારકાધિશ મંદિર, પાર્લિન, ન્યુજર્સી મુકામે ૧૪ એપ્રિલના રોજ શ્રી યમુના મહારાણીજી જાહેર ઉત્સવ તથા રામનવમી ઉત્સવ ઉજવાયોઃ શ્રી યમુના મહારાણીજીના પદ, ધોળ, તથા કિર્તન, તેમજ મનોરથ દર્શનથી વૈશ્નવો ભાવવિભોર બન્યા
(દિપ્તીબેન જાની દ્વારા)ન્યુજર્સીઃ યુ.એસ.માં શ્રી દ્વારકાધિશ મંદિર, ૭૧૭ વોશીંગ્ટન રોડ, પાર્લિન ન્યુજર્સી મુકામે ૧૪ એપ્રિલ ૨૦૧૯ રવિવારના રોજ શ્રી યમુના મહારાણીજી જાહેર ઉત્સવ ઉજવાઇ ગયો.
ઉત્સવ અંતર્ગત વૈશ્નવોએ પોતાના ઘરે બનાવેલી દૂધઘરની સામગ્રી રેશમી વસ્ત્રો પહેરીને પધરાવી હતી. યમુના મહારાણીજીના પદ,ધોળ,કિર્તન તથા ભોગ તેમજ મનોરથ દર્શનના આયોજન કરાયા હતા.
સંધ્યા તથા શપનમાં ફૂલ મંડળીના મનોરથોના દર્શન બાદ મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ હતી.
આ દિવસે રામ નવમી નિમિતે મંગળા દર્શનનો સમય સવારે ૭-૩૦નો રાખવામાં આવ્યો હતો. શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન સવારે ૮ વાગ્યે કરાવાયું હતું. તથા જન્મના દર્શનનો સમય બપોરે ૧૨-૧૦ વાગ્યાનો રાખવામાં આવ્યો હતો. તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.