પ્રિયંકા ગાંધી વારાણસી બેઠકથી ચૂંટણી લડશે તો ડિપોઝીટ જપ્ત થશે:બીજેપી ધારાસભ્યની શેખી
વિપક્ષ ખાલી કારતૂસ છે તેની પાસે બારૂદ નથી: 500 ખાલી કારતૂસના ખોખામળી જાય તો કઈ ફર્ક પડતો નથી
ઉત્તર પ્રદેશના વારાણસી ઉત્તરથી ભાજપના ધારાસભ્ય રવિન્દ્ર જયસ્વાલ કહ્યું કે કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વારાણસી બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે તો તેમની જામીન પણ જપ્ત થવાની છે. તેમણે કહ્યું કે વિપક્ષ ખાલી કારતૂસ છે. વિપક્ષ પાસે બારૂદ નથી તેમ છતા 500 ખાલી કારતૂસના ખોખા મળી જાય તો પણ ભાજપને કોઈપણ પ્રકારનો ફરક પડવાનો નથી.
આ પહેલા પ્રિયંકા ગાંધી વારાસણી બેઠક પરથી પીએમ મોદી વિરૂદ્ધ ચૂંટણી લડશે તેવી અટકળ તેજ બની હતી. જે બાદ ભાજપના નેતાઓ નિવેદન આપી રહ્યા છે. મીડિયામાં પ્રિયંકા ગાંધીની ચૂંટણી લડવાની અટકળ તેજ બનતા કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યુ હતુ તે, પ્રિયંકા ગાંધી વારાણસી બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરશે તો મીડિયાને પહેલાથી માહિતી આપવામાં આવશે.