મુખ્ય સમાચાર
News of Tuesday, 16th April 2019

કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માંતોડકર રેલીને સંબોધવા જતા બોરીવલી રેલવેસ્ટેશને મોદી મોદીના નારા લાગ્યા

કોંગ્રેસના નેતા વિફરતા મામલો ગરમાયો : કોલેજના વિદ્યાર્થીઓ સાથે મારામારીની ઘટના

મુંબઈ :ઉત્તર મુંબઈથી કોંગ્રેસના ઉમેદવાર અભિનેત્રી ઉર્મિલા માંતોડકર પ્રચાર કરવા માટે નીકળા હતા. કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માંતોડકર પોતાના મતદારક્ષેત્ર મુંબઈમાં પ્રચાર કરવા નીકળા હતા.ત્યારે  એવી સ્થિતિ સર્જાણી કે ઉર્મિલા પોતે કન્ફયુઝ થઈ ગયાં.

ઉત્તર મુંબઈ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ઉર્મિલા માંતોડકર બોરીવલી રેલ્વે સ્ટેશન નજીક એક રેલી સંબોધવા માટે જઈ રહ્યાં હતાં. તે દરમિયાન અચાનક જ મોટી સંખ્યામાં હાજર લોકોએ મોદી મોદીના નારા લગાવ્યાં હતાં. જેનાં કારણે ઉર્મિલા માંતોડકર અને તેમની સાથે હાજર રહેલા કોંગ્રેસના નેતાઓમાં ખિન્ન થયા હતા

 મોદી મોદીના નારા જનતામાં ગુજવા લાગ્યાં એટલે સાથે આવેલા કોંગ્રેસના નેતાઓ જનતા પર ખીજાણા હતા. અને ત્યાર બાદ મામલો વધારે બગડ્યો હતો અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે મારામારીની ઘટના બનવા પામી હતી.

(12:00 am IST)