મુખ્ય સમાચાર
News of Monday, 15th April 2019

લોકતંત્રને નષ્ટ કરવાનો પ્રયાસઃ મોદી ખેડૂતોને કેમ મળતા નથી? : પ્રિયંકા ગાંધીના ચાબખા

યુપીના ફતેપુર સીક્રીમાં કોંગ્રેસની મહાસભા

ફતેહપુરઃ કોંગ્રેસ દ્વારા ઉત્તરપ્રદેશના ફતેહપુર સિક્રીમાં મહાસભા યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી, રાજ બબ્બર સહિતના નેતાઓ હાજર રહેલ.

સભાને સંબોધીત કરતા પ્રિયંકા ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કરતા જણાવેલ કે, ભાજપ ફકત પોતાને જ રાષ્ટ્રીવાદી ગણાવે છે. રાષ્ટ્રવાદી હોય તો મહાપુરૂષોનો આદર કરે.

તેમણે લોકતંત્રને નષ્ટ કરવાના પ્રયાસો થઈ રહયા છે. જો તમે રાષ્ટ્રવાદી હોતો ખેડૂતોને કેમ નથી મળતા? મોદી પોતાના કામની વાત ન કરતા હોવાનું પણ જણાવેલ. તેમણે અંતમાં ઉમેરેલ કે દેશનો પાયો રાખનારનું સન્માન કરો.

 

(3:51 pm IST)